
સંસ્કૃતમાં તેને ખદીર કહેવામાં આવે છે. તેનું કદ મધ્યમ હોય છે. તેની છાલ ખરબચડી હોય છે. તેના પર પીળા કલરના ફૂલો થાય છે. તેની શિંગો ચાર ઈંચ લાંબી પાતળી ભૂરા રંગની હોય છે. પાન બનાવવામાં વપરાતો કાથો ખેરમાંથી બનાવવામાં આવે છે. દાંત માટે ઠંડું હોય છે. દાંતને ફાયદો પહોંચાડે છે. આ ઉપરાંત તે ખંજવાળ ઉધરસ તાવ શરદી ગળાનો સોજો જેવા રોગોમાં રાહત આપે છે. તે સ્વાદે કડવું પેટમાં થતાં કૃમિની નો નાશ કરનાર હોય છે. મોઢામાં પડેલા ચાંદા પણ મટાડે છે. આ ઉપરાંત તે ચામડીના રોગોમાં પણ કામ આવે છે.
ખેર ની છાલ ને કાઢી તેનુ ચૂર્ણ બનાવવામા આવે છે. દરરોજ સવારે, બપોરે અને સાંજે ત્રણ ટાઈમ લેવાથી ત્વચા થી લગતા રોગોમાં રાહત થાય છે. જો સમગ્ર શરીર માંથી કોઈપણ જાતનું ઇન્ફેક્શન આવ્યું હોય તો ખેરના ચુર્ણને પાણીમાં નાખી ઉકાળી તે પાણીથી સ્નાન કરવાથી ઇન્ફેક્શન દૂર થાય છે. જો તમારી ચામડી માંથી કોઈપણ જાતનું પાણી પડે છે. લોહી કે કફ જામતા હોય તો ખેર ની છાલ ઉખાડી તેને ગરમ કરવામાં આવે. તે ચામડી નો ભાગ તે પાણીથી સાફ કરવામાં આવે તો તે સમસ્યામાં રાહત મળે છે.
આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને કોઢ હોય તો તે પાણીના હવામાન પીવામાં આહારમાં ઉપયોગ કરી શકે છે. તેથી કોઢ દૂર થાય છે.સનોમઠ નામના રોગમાં મૂત્ર ધીમે ધીમે ઓછું આવવા મળે છે. તેથી શરીરમાં કફ જામતો જાય છે. તેથી વાયુ ની સમસ્યા ઉત્પન્ન થાય છે. આ સમસ્યામાં ખેરની છાલનો ભૂકો પાણીમાં ગરમ કરો પાણી અડધુ થાય ત્યાં સુધી તેને ગરમ કરવું ત્યારબાદ સવાર-સાંજ આ પાણી પીવાથી ફાયદો થાય છે.
જો તમારા દાંતમાં દુખાવો હોય કે દાંત ને લગતા કોઈ રોગ હોય કે મોંમાંથી વાસ આવતી હોય તો ખેર ની છાલનું પાણી થી કોગળા કરવાથી તેમાં રાહત મળે છે.કાથો વૃક્ષના વચ્ચેના ભાગમાં તૈયાર થાય છે. તેથી તેને ખેરસાર કહેવામાં આવે છે. જો તમને હાથી પગાની સમસ્યા હોય તો દરરોજ સવારે બપોરે સાંજે એક ચમચી મધ મા ખેર નાખી ચાટવાથી હાથી પગાની સમસ્યામાં રાહત મળે છે. ખદિરવટી બનાવવા માટે તમારે સો ગ્રામ ખેર તથા કપૂર, સોપારી, જાયફળ, ચણકબાબ, એલચી ૨૦ ગ્રામ લેવાના છે.
ત્યારબાદ તેને મિક્સરમાં પીસી પાવડર બનાવવાનો છે તેમાં પાણી નાખી તેની નાની નાની ગોળી વાળવામાં આવે તો તેને ખદિરવટી કહેવામાં આવે છે. ખદિરવટી ગોળી સવારે, બપોરે, સાંજે મોમાં રાખી ચૂસવાથી સૂકી ઉધરસ, મોમાં ચાંદા, જીભ કે દાંત ને લગતી કોઇ પણ સમસ્યામાં રાહત મળે છે. ખદિરવટી બજારમાં તૈયાર પણ મળે છે. ચામડીના રોગ માટે ખેરનું સેવન ઉત્તમ ઔષધિ છે.