
રોજ મોડે સુધી બેસી રહેવાને લીધે દરરોજ શરુ થઇ શકે છે કરોડરજ્જુ ના હાડકાની તકલીફો. ઘરમાં તથા ઓફિસમાં જ ૧૦ મિનીટ સમય પસાર કરીને કરો આ આસાન યોગાસન. પીઠનો દુખાવો, કમરનો દુખાવો, ખંભાનો દુખાવો તથા કોણી અને આંગળીઓના દુખાવાથી રાહત આપે છે આ યોગાસન.
જેવી રીતે ટેકનીક વિકસિત થતી જઈ રહી છે, ખુબ ઘણા કામ હવે એક જ જગ્યા પર બેસીને થવા લાગ્યા છે. આ અનુસાર ભણવા વાળા વિદ્યાર્થીઓ, દુકાનદાર તથા નૌકરી વાળા માણસોને દિવસભર એક જ જગ્યા પર બેસીને કામ કરવું પડે છે. કામના દબાવના લીધે તો એમના શરીરના સ્વાસ્થ્ય વિશે વિચારવાનો સમય જ નથી રહેતો અને જીમ જઈને એકસરસાઈઝ કરવાનો સમય પણ નથી હોતો. એવામાં જોવામાં આવ્યું છે કે કેટલાક સમય પછી આ માણસોમાં પીઠનો દુખાવો, કમરમાં દુખાવો, ખંભાનો દુખાવો, અથવા કોણી તથા આંગળીઓનો દુખાવો ચાલુ થઇ જાય છે.
આનું અગત્યનું કારણ એ છે કે તમે માનસિક રૂપથી તો સક્રિય હોવ છો, પરંતુ શારીરિક રૂપથી એકદમ નિષ્ક્રિય હોવ છો. શરીરથી સ્વસ્થ રહેવા માટે તમારા શરીરને થોડોક પરિશ્રમ અથવા એકસરસાઈઝ કરવી ખુબ આવશ્યક છે. જો તમને તમારા કામથી વધારે સમય નથી મળતો તો તમે ઘરે અથવા ઓફિસમાં જ ૧૦ મિનીટ સમય કાઢીને કેટલાક આસાન યોગાસન કરી શકો છો, જેના લીધે તમે શરીરમાં થવા વાળી સમસ્યાઓથી બચી રહો. આની સિવાય આ યોગાસન તમને શારીરિક રૂપથી શરીરથી સ્વસ્થ પણ રાખશે.
• હસ્તોત્તાસન કરો :
હસ્તોત્તાસનને તમે ક્યાંય પણ અને ક્યારેય પણ કરી શકો છો.
1. આને કરવા માટે સૌ પેઠન સીધા ઉભા થઇ જાવ અને હાથને ઉપર આકાશની બાજુ ઉઠાવી લો.
2. હવે બંને હાથના પંજાને એકસાથે ભેગા કરીને એડીને ઉંચી કરો અને હાથને થોડા ઉપરની બાજુ ખેંચો.
એના પછી એડીઓને જમીન પર રાખી દો.
3. હવે હાથને ઉપર ઉઠાવીને ડાબી બાજુ અનુસાર ફરીને સીધા કરો.
પછી આ રીતે ડાબી બાજુ ક્ષમતાનુસાર ઉભા કરો.
4. દર ૩ કલાકના અંતર પર આવું ૨-૩ વાર કરી લો તો તમને ક્યારેય પણ કમર અને પીઠની તકલીફ નહિ થાય .
• સુપ્ત પવનમુક્તાસન :
1. સૌથી પહેલા ચટાઈ પાથરીને સીધા સુઈ જાવ. તમારા ઘુટણોથી પગ વાળી લો તથા એને તમારી છાતી પાસે નજીક લાવો.
2. તમારા પગની નજીક તમારી બાહો લપેટો. ઈચ્છો તો આંખ પણ બંધ કરી શકો છો.
3. એકવખત ઊંડો શ્વાસ લો. આ પરિસ્થિતિમાં ૧ મિનીટ માટે રહો.
હવે શ્વાસ છોડો અને તમારું માથું એટલું ઉઠાવો કે તમારું નાક ઘુટણને અડી શકે. આ અવસ્થામાં ૫ સેકંડ સુધી રહો. શ્વાસ લેતા તમારું માથું પાછળ લઇ જઈ શકો છો. આ રીત ૫ વાર કરો.
4. આ આસાનથી પેટ, નાની અને મોટી ઈંટેસ્ટાઈન,લીવર, પેન્ક્રીયાજ, અને માંસપેશીઓ ની ખુબ ખુબ સારી રીતે માલીશ થઇ જાય છે.
• પદસંચાલનાસન :
1. આ આસન જાડાપણાના ઉપચારોમાં ખુબ કામ આવે છે. આના રાહત થાય. પીઠ, હીપ્સ, પગ, હોઠ, પેટ અને પેલ્વીસ સક્રિય થાય છે.
2. ચટાઈ પાથરી લો અને એના પર સીધા સુઈ જાવ. હથેળીઓ નીચેની બાજુ રાખો. સામાન્ય રૂપથી શ્વાસ લો અને તમારા બંને પગને હવામાં રાખો, પછી એના ૧૦-૧૨ રાઉન્ડ કરો જેમ કે સાઇકલ પેન્ડલ મારતા હોય.
3. હવે શવાસનમાં આવો, એટલે સુઈ જાવ અને ૨ મિનીટ સુધી ધીમે ધીમે શ્વાસ લો.
4. હવે વિરુદ્ધ દિશામાં પગને ચલાવો. એના ૧૦-૧૨ રાઉન્ડ કરો.
• સ્ટ્રેચિંગ કરો :
1. ઉંધા પગને સીધા પગની ઉપર રાખો અને આગળની બાજુ નમી જાવ પછી મહેસુસ કરો કે ક્યાં ક્યાં સ્ટ્રેચ આવી રહ્યું છે. પછી ફરીથી એ અવસ્થામાં આવી જાવ. પછી બીજી બાજુથી પણ આ આસનને કરો.
2. હવે તમારી આંગળીઓને નજીકમાં ફસાવીને ઉપર લઇ જાવ અને ખેંચીને રાખો. શ્વાસ ભરતા રહો અને ફરીથી આવી જાવ. પછી તમારા ઉલટા હાથ ઉપર લઇ જાવ અને બીજી બાજુ માં નમી જાવ. એવી જ રીતે બીજી બાજુથી પણ કરો.
3. ઉલટા પગ આગળ લઇ જાવ પછી હાથથી પગની આંગળીઓને પકડવાની કોશિશ કરો. જો નથી પકડી શકતા તો પગને પકડી લો. પછી ફરીથી આવી જાવ. બીજી બાજુથી પણ આમ જ કરો.